Popular Posts

Thursday, 17 September 2020

લિથિયમ પ્રકરણ ૪ : "અવિશ્વાસ..! "


 

લિથિયમ
પ્રકરણ ૪ : "અવિશ્વાસ..! "

મલ્હારના મ્રુત્યુના સમાચાર સાંભળ્યા બાદ જાડેજાને ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગ્યો હતો.

"કંઈક મોટુ રંધાઈ રહ્યું છે નાથિયા,
આ એકસીડન્ટ કરતાં કોઈકના કાવતરાનો ભાગ હોય તેવું વધારે લાગે છે..!"
જાડેજા વિચારતા વિચારતા નાથુની સામે જોઈને બોલ્યા.

"જીના પર શંકા હતી,
એતો આ દુનિયા સોડીન જ જતો રયો.
સાહેબ હવ તમોને સુ લાગ છ..
કુણે કર્યું હશે આ બધુ..?"
નાથુ ઉદાસ મોઢે બોલ્યો.

"છેલ્લે મલ્હાર જેને જેને પણ મળ્યો છે,
તે બધાની તપાસ કર...!"
જાડેજા ફક્ત આટલું જ બોલી શકે છે.

વાતને બે મહિના નીકળી જાય છે,
ઉપરથી પ્રેશર હોવાના લીધે માહેશ્વરીની ફાઈલ ક્લોઝ થઈ જાય છે.
પૂરાવાના અભાવે આ સ્યૂસાઈડ જ હતું એમ દુનિયાએ પણ સ્વીકારી લીધું હોય છે.

પણ જાડેજા ની ઊંઘ હરામ થઇ ગઈ હતી.
તેમને હંમેશા થતુ કે ગુનેગાર હજી સુધી પકડાયો નથી.

"સાહેબ હવ બધુ ભૂલી જો. મોટો મોણસો અગાળ આપણે બધોય નોની કીડીયો જેવા છીયે,
બધો આપણને દબોઈન જતો ર..! "
નાથિયો અકળાયો હતો.

જાડેજા આંખો બંધ કરી સાંભળી રહ્યાં.
નાથુએ વાતને આગળ વધારતા કહ્યું,
"આ બધું પેલી ડૉક્ટરના લીધે થયું,
ના તો ઈને મલ્હારની વાત કાઢી હોત, ના તો આપણું મગજ ફેરવ્યું હોત.
ચારના આપણે સ્યૂસાઈડ મોનીને કેસ બંધ કર દીધો હોત..!"
નાથુની આ વાતથી જાડેજા અકળાયા હતા,
ગુસ્સો કરીને કંઈક બોલે ત્યાં અચાનક તેમના મનમાં એક વિચાર ઝબક્યો,

"યસ નાથ્યા,
યસ..
ડૉક્ટર..
હું કેવી રીતે આ મિસ કરી ગયો.
તને યાદ છે નાથિયા મેં તને કીધું હતું કે મલ્હાર જેને છેલ્લી વાર મળ્યો એ બધાની તપાસ કરાવ.
એમાં એક વ્યક્તિ હતા ડૉ. વ્રજ મહેતા.
એ વખતે તેઓ અમદાવાદમાં ના હોવાથી મળી શકાયું ન હતું.
મને થાય છે એક વાર એમને મળવું જોઈએ, કદાચ કંઈક તાગ મળી જાય..! "

આ તરફ જાડેજા અને નાથુ ડૉ. વ્રજના જોડે તપાસ કરવા નીકળ્યા અને બીજી તરફ,
અમદાવાદની ફાઈવ સ્ટાર હૉટેલના રૂમ નંબર ૫૦૨ માંથી કંઈક અવાજ આવી રહ્યો હોય છે.

"ઑહ ગોડ, રાજન..
શું માસ્ટર પ્લાન હતો તમારો.
થેંક્યુ સો મચ કે તમે મને મલ્હાર ની વાસ્તવિકતા અંગે મને જાણ કરી,
નહીંતર હું અંધારામાં જ રહેતા.. "
અવાજ મલ્હારની પત્ની કવિતાનો હતો.

"બેવફાઈની સજા તો મળવી જ જોઈએ દરેકને.
એ લોકોની વાતો કરી આપણે શું કરવા ટાઈમ વેસ્ટ કરીએ છીએ.. "
રાજને કહ્યું.

"યસ સ્યોર,
તમે આજે મને કંઈક ખાસ વાત કરવા માટે બોલાવી હતી. "
કવિતાએ કહ્યું.

"હા વાત એટલી છે કે જીવનમાં બહુ જ એકલતા છે.
મને જરૂર છે એક કંપનીની. અને તારા જેવી બ્યુટીફૂલ કંપની મળે તેનાથી વધારે કોઈ માણસને શું જોઈએ? "
ફ્લર્ટ કરતાં રાજને કહ્યું.

"તો, હવે આગળ.. "
શરમાતા શરમાતા કવિતા એ કહ્યું.

"તો, વિલ યુ મેરી મી..? "
રિંગ કાઢી પ્રપોઝ કરતાં રાજને કહ્યું.

"ઑહ યસ...! "
ખુશીથી કવિતા બોલી.

ખુશીથી રાજને કવિતાને પોતાની બાહોમાં ભરી અને કવિતાએ પોતાના હોઠ રાજનના હોઠ સાથે બિડી દીધા.
૧૦ મિનિટના પેશનેટ લિપ કિસિંગ બાદ રાજને વાઈનનો ગ્લાસ કવિતાને આપ્યો.

"લેટ્સ સેલિબ્રેટ..
ચિયર્સ..! "

કવિતા ગ્લાસને મોઢા પર લગાવે ત્યાં જ પાછળથી દરવાજો ખોલીને ઈન્સપેકટર જાડેજા અને નાથુની અચાનક રૂમમાં એન્ટ્રી થઈ..

"વાઈન ના પીતા કવિતા મેડમ,
એમાં લિથિયમનો વધારે માત્રામાં ડૉઝ આ નરાધમે નાખ્યો છે.
એક ઘૂંટ જીભની નીચે અને તમારૂં પ્રાણ પંખેરૂ ઉડી જશે..!! "
જાડેજા એ પિસ્તોલ રાજન તરફ તાકીને કહ્યું.

પાછળથી જઈને નાથુએ રાજનને પકડી લીધો.

"રાજન, ડૉ. વ્રજને મળીને આવ્યો છું,
તમારી બધી જ બિમારી ની પણ માહિતી મળી ગઈ છે.
વિશ્વાસ રાખો, દરેક બિમારીનો ઈલાજ શક્ય છે..! "
જાડેજા બોલ્યા.

"સર, આ બધું શું છે?
શેની બિમારી..! "
કવિતાએ કહ્યું.

"કવિતા,
રાજન ઑબરૉય એક સાયકાયટ્રીક ડિસીઝ થી પિડાય છે.. જેનું નામ છે,
'ઓથેલો સિન્ડ્રોમ'. આ બિમારી ના અંતર્ગત વ્યકિત ને હંમેશા એવો ભ્રમ રે છે કે, તેનું પાર્ટનર તેની સાથે વફાદાર નથી. તેનું ચોક્કસ થી અફેર છે કોઈકના જોડે.
આલ્કોહોલનું વધારે પડતું સેવન આ બિમારીનુ મુખ્ય કારણ છે. ૨ વર્ષ પહેલાં આ બિમારીનુ નિદાન ડૉ. વ્રજ એ કર્યું હતું. દવા પણ તેઓ બરાબર લેતા હતા. પણ છેલ્લા ૬ મહિનાથી તેમણે આ દવાઓ બંધ કરી અને ફરીથી આ ડિલ્યુસનમાં સપડાયા અને તેનુ પરિણામ તમારી સામે છે..! "
જાડેજા એ ફોડ પાડતા કહ્યું.

"મતલબ, મલ્હાર નુ કોઈ અફેર ન હતું માહેશ્વરી સાથે...??? "
કવિતા હવે તૂટવાની તૈયારી માં હતી.

"હા, તેઓ સારા મિત્રો હતા,
કોઈ અફેર ન હતું, માહેશ્વરી અને મલ્હારનું
પોતાની બિમારીના લીધે રાજને લિથિયમ નો ઓવરડોઝ માહેશ્વરી ને આપીને તેની હત્યા કરી અને જ્યારે મલ્હાર ને વ્રજ તરફથી બધી માહીતી મળી રાજનની બિમારીની તો પોતાનો ગુનો બચાવવા તમારી જોડે મલ્હારની કારની બ્રેક ફેલ કરાવી તેની પણ હત્યા કરવી..! પોતાનો ફક્ત ભ્રમ સંતોષવા માટે તમને પણ ગુનેગાર બનાવ્યા. આબાદ પ્લાન હતો ડબલ મર્ડર ને એક્સિડન્ટ માં બદલવાનો. "
જાડેજા એ કહ્યું.

"તો, આજે મારી પણ હત્યા થાત..? "
કવિતા રડતાં રડતાં બોલી..

"હા,
તું પણ..
જેમ મલ્હાર અને માહેશ્વરી એ દગો કર્યો એમ તે પણ મારી સાથે લગ્ન કરવાની હા પાડીને પોતાની મોતને જ આમંત્રણ આપ્યું છે..
આ ઈન્સપેકટર જે પણ બકવાસ કરે,
મને કોઈ બિમારી નથી, અફેર હતું જ માહેશ્વરી અને મલ્હાર નું. અને એમના ગુનાની સજા મેં બરાબર જ આપી છે..! "
આટલું બોલી રાજન હસવા લાગ્યો..

રાજનને સાયકાયટ્રીક વૉર્ડમાં દાખલ કરી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી અને કવિતાને રાજનને ગુનામાં સાથ આપવા બદલ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો..

થોડાક દિવસ પછી,
પોલીસ સ્ટેશનમાં,
"નાથિયા એક વ્યસન અને બીજો અવિશ્વાસ..
આ બંને જીવલેણ છે..! "
જાડેજા બોલ્યા..

"હોવ સાહેબ,
જબરી મોટી વાત કીધી છ..
આજ કેસ પૂરો,
આ જ તો પાર્ટી આલવી પડશે, હાલો ચૂસકી લગાઈએ..! "
નાથ્યા એ કહ્યું..

"શેની?? દારૂ ની..? "
જાડેજા એ હસતા હસતા કહ્યું.

"ના બાપુ,
ચા ની..
તમ ય શું?
દારૂ થી તો દૂર જ હારુ,
ચોક મન પેલો ઑથેલો થઈ જાય તો મારૂ બૈરું જ મન માર નાખ..! "
નાથ્યો અને જાડેજા ચા ની ચૂસકી લેતા લેતા હસવા લાગ્યા...!!

પૂર્ણ.
ડૉ. હેરત ઉદાવત.


8 comments:

  1. Nice strory...very nicely written but climax ma psychiatric disorder krta bijo koi twist hot to vadhare maja aavat... congratulations....

    ReplyDelete
    Replies
    1. Thank you soo much for the feedback..!! Will try to implement your advice in further stories.. Thank you for this feedback..!! ☺

      Delete
  2. Jordar..👌👌Accompanied with this story,u also teaching us the boring Subject like psychiatry in the form of stories..

    ReplyDelete
  3. Awsome story line! Very well written and described! Makes us stick to the story till we know then end! Too good!! 👏👏

    ReplyDelete
    Replies
    1. Thank you soo soo much mudita for the precious feedback..!! ☺

      Delete

"પૂજ્ય મોટા"

જીંદગી વિશેની સારી વાત, તેને જીવવાના શ્રેષ્ઠ રસ્તાઓ કેટલાય મોટીવેશનલ સ્પીકર અને ફિલોસોફર આપતા હોય છે ,પણ આજે હું એક એવા વ્યક્તિ વિષે વાત કરવ...